Wednesday, 28 December 2016

આધાર પેમેન્ટ એપ લોન્ચ : આજથી અંગૂઠો લગાવો અને કરો પેમેન્ટ

આધાર પેમેન્ટ એપ લોન્ચ : આજથી અંગૂઠો લગાવો અને કરો પેમેન્ટ



ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે સરકાર સતત નવી યોજનાઓ લાવી રહી છે. આ દિશામાં વધુ એક મોટી શરૂઆત થઈ ગઈ છે. 25 ડિસેમ્બરે એક નવી મોબાઈલ એપ્લિકેશન “Aadhar App” લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા આધાર નંબરની મદદથી તમે કોઈપણ દુકાન પર અંગૂઠાના મદદથી પેમેન્ટ કરી શકશો.
એકદમ સરળ રીતે કરી શકશો ટ્રાન્જેક્શન
આ નવી એપના ઉપયોગ માટે તમારા પાસે સ્માર્ટફોન કે કોઈપણ ફોનની જરૂરત નથી. માત્ર, તમારા બેંક ખાતા સાથે તમારો આધાર કાર્ડ એટેચ હોવો જોઈએ. તે ઉપરાંત દુકાનદાર પાસે એક સ્માર્ટફોન અને બાયોમેટ્રિક સ્કેનર મશીન હોવી જોઈએ. ફિંગરપ્રિન્ટ સેન્સરવાળો મોબાઈલ ફોન હોય તો સ્કેનરની પણ જરૂરત નથી.
આધારકાર્ડ અને આધારએપ દ્વારા જોડાવાનું રહેશે એકવાર બેન્ક સાથે
– આ નવી એપને યૂઆઈડી, આઈડીએફસી બેન્ક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન એટલે કે એનપીસીઆઈએ બનાવી છે.
– દુકાનદાર અને કસ્ટમરને એપને પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોર્ડ કરવાની રહેશે, આ એપ ગૂગલના પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.
– ગ્રાહકને પોતાનો આધાર નંબર અને બેંન્કનું નામ એપમાં એડ કરવાનું રહેશે.
– ત્યાર બાદ મોબાઈલ હેન્ડસેટથી જોડાયેલા બાયોમેટ્રિક સ્કેનર પર અંગૂઠો મૂકવાનો રહેશે.
– અંગૂઠાના નિશાનથી તમારી ઓળખાણ થશે.
– સૌથી મોટી વાત એ છે કે, આ લેવડ-દેવડમાં કોઈપણ સર્વિસ ચાર્જ હાલમાં આપવો પડશે નહી. આમ એકવાર તમે આ પક્રિયામાંથી પ્રસાર થઈ ગયા પછી તમને મોબાઈલ ફોનની પણ જરૂરત રહેશે નહી, અને તમે દેશના કોઈપણ ડિજિટલ પેમેન્ટ કરી શકશો.
સ્માર્ટફોનની પણ રહેશે નહી જરૂરત 
એટલે કે ડિજિટલ લેવડ-દેવડ માટે ડેબિટ કાર્ડ કે મોબાઈલ વોલેટની હવે કોઈ જ જરૂરત નથી. તેની સાથે તમારે પિન અથવા પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર આપવાની પણ જરૂરત નથી. તે ઉપરાંત ગ્રાહકોને મોબાઈલની પણ જરૂરત નથી.
3 કરોડ દુકાનદારો કરશે ટૂંકમાં આ એપનો ઉપયોગ
આધાર નંબર બહાર પાડનાર સંસ્થા યૂઆઈડીના જણાવ્યા અનુસાર, દેશના લગભગ મોટાના યુવાનોના આધારકાર્ડ બહાર પાડી દીધા છે. જ્યારે 40 કરોડથી વધારે બેન્ક ખાતાઓ આધારથી જોડાઈ ચૂક્યાં છે. એવામાં એપ દ્વારા લેવડ-દેવડની બધી જ શક્યતાઓ જોવાઈ રહી છે. યૂઆઈડીના અનુમાન પ્રમાણે, નવી એપને આવતા કેટલાક દિવસોમાં 3 કરોડ દુકાનદારો ઉપયોગ કરશે અને જેથી 25 થી 30 કરોડ લોકો ખરીદી કરી શકશે. આ કારણે આધાર દ્વારા લેવડ-દેવડ સવા કરોડથી 6 ગણી વધી શકે છે.
કેશલેસમાં નડતી બધી જ સમસ્યાઓ થશે દૂર
દેશમાં અત્યાર સુધી લગભગ 94 કરોડ ડેબિટ કાર્ડમાંથી 74 કરોડ જ સક્રિય છે. તેમાં પણ 10માંથી 9 ડેબિટ કાર્ડનો ઉપયોગ માત્ર એટીએમમાંથી પૈસા નિકાળવામાં અને બેલેન્સ ચેક કરવામાં જ થાય છે. આમ અત્યાર સુધીમાં ડેબિટ કાર્ડથી નજીવી ખરીદી થાય છે, તે પાછળના ઘણા બધા કારણો છે, જેમાં જોઈએ તો પ્વાઈન્ટ ઓફ સેલ્સ એટલે પોર્સ મશીનનો અભાવ, સર્વિસ ચાર્જ, સુરક્ષાને લઈને શંકા અને ઈન્ટરનેટ ક્નેક્ટિવિટીની સમસ્યા, આ સમસ્યાના કારણે દેશમાં પૂરી રીતે કેશલેશ શક્ય બની શક્યું નહતું. પરંતુ હવે આશા રાખવામાં આવી રહી છે કે, આ બધી જ સમસ્યાઓ ટૂંક સમયમાં જ દૂર થઈ જશે.

No comments:

Post a Comment